[ર૮૪] કેટલા અંતરથી ખબર મોઅતબર ગણાય

Chapter : ઝકાત

(Page : 349-350)

સવાલ :–(૩) ટોરન્ટો શહેરથી કેટલા માઈલ દૂરના ફાસલાથી મળેલી આધારભૂત ખબરને માન્ય રાખવામાં આવે ?

જવાબ :– (૩) જે દૂરના સ્થળની ચાંદ જોવાની ખબર માનવાથી પોતાના સ્થળની રૂયત મુજબ કમરી મહિનો ર૮ દિવસનો અથવા ૩૧ દિવસનો થતો હોય તેટલા દૂરના સ્થળની ખબર માનવામાં ન આવે અને જેટલા દૂરના સ્થળની ચાંદ જોવાની ખબર માનવાથી એ પ્રમાણે મહિનો ર૯ દિવસથી ઓછો અને ૩૦ દિવસથી વધુ ન થઈ જતો હોય તેટલા દૂરના સ્થળની મોઅતબર ખબર માની પોતાના સ્થળ ઉપર રમઝાન અથવા ઈદના ચાંદનો ફેસલો કરી શકાય છે.

(રિસાલએ રૂયતે હિલાલ)

Log in or Register to save this content for later.