[ર૮૩] ઓરતોની રૂયતે હિલાલથી ચાંદનો સુબૂત

Chapter : ઝકાત

(Page : 349)

સવાલ :–(ર) ઓરતોની શહાદત માન્ય રાખવામાં આવે કે નહિ ?

જવાબ :–(ર) રમઝાનના ચાંદ વખતે મતલઅ સાફ ન હોય તો ફકત એક દીનદાર ઓરતની ચાંદ જોવાની ખબરથી પણ રમઝાન સાબિત થઈ શકે છે, પરંતુ મતલઅ સાફ હોય તો ફકત ઓરતોની ગવાહીથી રમઝાનનો ચાંદ સાબિત ન થઈ શકે, એવી જ રીતે ઈદના ચાંદ વખતે મતલઅ સાફ હોય તો ફકત ઓરતોના ચાંદ જોવાથી ઈદનો ચાંદ સાબિત ન થઈ શકે અને જો ઈદના ચાંદ વખતે મતલઅ સાફ ન હોય તો પણ ફકત ઓરતોની ગવાહીથી ઈદનો ચાંદ સાબિત ન થઈ શકે, સાથે કમથી કમ એક દીનદાર મર્દનું પોતે ચાંદ જોવાની ગવાહી આપવું ઝરૂરી છે.                         (શામી – ર)

Log in or Register to save this content for later.