[ર૮૦] એક જગ્યાની રૂયત બધા દેશો માટે

Chapter : ઝકાત

(Page : 345-347)

સવાલ :– આજે રાત્રે ઈશાની નમાઝ બાદ મિસરના એક મોટા આલિમે મસ્જિદમાં મસ્અલો બયાન કર્યો જે આ મુજબ છે શું તે સહીહ છે તે જણાવશો ?

               ઈમામ અબૂ હનીફહ, ઈમામ માલિક અને ઈમામ અહમદ (રહ.) આ ત્રણેવ ઈમામોના નઝદીક કોઈ પણ ઈસ્લામી દેશમાં ચાંદ જોવાની ખબર આવી જાય તો રમઝાન અથવા ઈદ સાબિત થઈ જાય છે, પણ ઈમામ શાફઈ (રહ.)ના નઝદીક થોડો ફર્ક છે તે છતાં અકષરિયત ઉપરના મસ્અલામાં છે તો હવે કોઈ પણ ઈમામની તાબેદારી કરતા હોય ચાંદ જોવાની ખબર ઈસ્લામી કન્ટ્રીમાંથી આવે તો ચાંદ સાબિત થઈ જશે.

જવાબ :– મિસરી આલિમ સાહેબે જે મસ્અલો બયાન કર્યો તે મસ્અલા સંબંધી વિવિધ ફિકહી મસલકના આલિમોના વિવિધ મંતવ્યોમાંથી એક મંતવ્ય મુજબ તે મસ્અલો દુરસ્ત છે.

               પરંતુ ઉલમાએ હનફી, ઉલમાએ માલિકી, ઉલમાએ શાફઈ  અને ઉલમાએ હંબલીનું રાજેહ અને અમલ માન્ય મંતવ્ય એ છે કે એક જગ્યાની ચાંદની ખબર નઝદીકના અને આસપાસના વિસ્તારના શહેરો માટે પૂરતી છે, પરંતુ દૂરના દેશો અને શહેરો માટે તે ખબર મોઅતબર નહિ ગણાય.

               ચાંદ જોવાની જગ્યાએથી જે શહેરો અને દેશો એટલા નઝદીક હોય કે જો ત્યાં બીજી જગ્યા ચાંદનો ફેસલા મુજબ અમલ કરે તો પોતાને ત્યાં ઈસ્લામી મહિનો ર૮ દિવસ અથવા ૩૧ દિવસનો ન થઈ જાય તો એવી નઝદીકની જગ્યાઓમાં બીજી જગ્યાના ચાંદની શરીઅત મુજબ માહિતી મેળવી પોતાના સ્થળે રમઝાન અથવા ઈદનું એલાન કરી શકાય છે અને જો ચાંદ જોવાના સ્થળેથી પોતાનું શહેર અથવા દેશ એટલો દૂર હોય કે જો તે બીજા સ્થળના ચાંદની તારીખ મુજબ પોતાને ત્યાં અમલ કરવામાં આવે તો પોતાના સ્થળે ચાંદ જોવાતા ચાંદની તારીખ મુજબ મહિનો ર૮ દિવસનો અથવા ૩૧ દિવસનો થઈ જાય તો પોતાના દેશ અથવા શહેરથી એવા દૂર આવેલા સ્થળના ચાંદનો ફેસલો પોતાના સ્થળે મોઅતબર નહિ ગણાય. આ મસ્અલાની વધુ વિગત માટે હઝ. મુફતી મુહંમદ શફીઅ સાહેબ (રહ.)નો રિસાલો વાંચવો, એ જ પ્રમાણે લખનઉથી છપાયેલા ”રૂયતે હિલાલ કા મસ્અલા” નામી રિસાલાનો અભ્યાસ કરવો જોઈએ.

Log in or Register to save this content for later.