[ર૮પ] ટેલીફોનથી ચાંદની ખબર

Chapter : ઝકાત

(Page : 350-351)

સવાલ :– (૪) ટેલિફોન પર મેળવેલી ખબર વિષે શું હુકમ છે ?

જવાબ :–(૪) જે શર્તો સાથે ટેલિફોનની ખબર ચાંદના મામલામાં મોઅતબર માની શકાય છે, જો તે શર્તોની રિઆયત સાથે ફોન કરવામાં આવે તો રમઝાનના ચાંદની બાબત તો ફોનની મોઅતબર ખબરના આધારે પણ ટોરન્ટો શહેરમાં રમઝાનનું એલાન કરી શકાય છે, ફોન ઉપર ચાંદની ખબર આપનાર અને ખબર સાંભળનાર બન્ને એક બીજાને ઓળખતા હોય અને બન્ને દીનદાર શરીઅતના પાબંદ હોય અને ફોન ઉપર ચાંદની ખબર આપનારની અવાજ ખબર સાંભળનાર ઓળખતો હોય, ચાંદની ખબર આપનાર પોતે ચાંદ જોવાની ખબર આપે અથવા બીજા કોઈ દીનદાર માણસના ચાંદ જોવાની અને ચાંદ જોનારે પોતે તેની સામે પોતાનું ચાંદ જોવું બયાન કરવાની ખબર આપે અથવા ફોન ઉપર ચાંદની ખબર આપનાર વ્યકિત કોઈ જગ્યાએની ચાંદ કમિટીના ઝિમ્મેદાર હોય અને તેઓએ પોતે મોઅતબર ગવાહીના આધારે ચાંદનો ફેસલો કરવાની ખબર આપે, તો આ સૂરતોમાં રમઝાનના ચાંદમાં ફોનની ખબર મોઅતબર માની શકાય છે અને  ઈદના ચાંદ માટે તો ગવાહીની ઝરૂરત છે માત્ર ફોનની ખબરથી ઈદનો ફેસલો ન થઈ શકે, પરંતુ તમારો ઈલાકો જયાં મોટે ભાગે ચાંદ દેખાતો નથી અને બહારની ખબર ઉપર આધાર રાખવો પડે છે તેવા ઈલાકાના ચાંદ કમિટીના ઝિમ્મેદાર લોકો બીજી એવી જગ્યાઓની ચાંદ કમિટી સાથે સંપર્ક – સંગઠન કરી લે કે જે ઉપરોકત વિગત મુજબ ઘણી દૂર ન હોય તો તે ચાંદ કમિટીના ફેસલાની ફોનની ખબર ઉપર ઈદ પણ થઈ શકે છે, પરંતુ શર્ત એ છે કે ચાંદ કમિટીની જવાબદાર વ્યકિતઓનો મોઅતબર ફોન તમારી ચાંદ કમિટીની જવાબદાર વ્યકિતઓના નામે આવે પછી જ કોઈ ફેસલો કરવામાં આવે.

               અને જો તે બીજી જગ્યાએ ચાંદ કમિટી ન હોય તો બે દીનદાર ચાંદ જોનાર ઓળખાણ વાળી વ્યકિતઓની ફોનની ખબરથી પણ ઈદનો ફેસલો કરી શકાય છે.     (રસાઈલે રૂયતે હિલાલ – શામી –ર)

Log in or Register to save this content for later.