Chapter : ઝકાત
(Page : 305-306)
સવાલ :– મારા વાલિદૈન પાસે એક ઘર છે અને અમો ચાર ભાઈ અને બે બહેનો છે અને એ ઘર ફિલહાલ વાલિદૈનના કબ્ઝામાં છે અને વાલિદ સાહેબ પાસે બે વીંઘા જમીન પણ છે તો સવાલ એ છે કે મેં એક જમીન ઘર બનાવવા માટે લીધી હતી, એ જમીનની કિંમત રૂપિયા ૬૦,૦૦૦/– હતી. મારી પાસે ૪૦,૦૦૦/– રૂપિયા રોકડા હતા, મેં તે ૪૦,૦૦૦/– રોકડા જમીન માલિકને આપી દીધા છે અને બીજા ૧૯,૦૦૦/– હજાર બીજા માણસોને આપ્યા છે અને એ પણ મળવાની ઉમ્મીદ છે તો પૂછવાનો મતલબ એ કે જગા લેવા પછી ઘર બનાવવાનો પણ ઈરાદો છે તો એક માણસ વ્યાજના પૈસા આપે તો મારાથી એ પૈસા લેવાય કે નહિ ? અને ફિલહાલ મારી પાસે પૈસા પણ નથી કે કોઈ જાતની ખેતીવાડી પણ નથી, તો વ્યાજના પૈસાથી લીધેલ જમીનમાં ઘટતા પૈસા ઉમેરી શકાય તેમજ ઘર બનાવી શકાય કે નહિ?
સસરા દામાદ (જમાઈ) ને ઘર બનાવવા માટે તેમ જમીન લેવા વ્યાજના પૈસા આપી શકશે ?
જવાબઃ– મઝકૂર ઘર બનાવવા માટે ખરીદેલી જમીનમાં મકાન બનાવીને તમો રહો નહિ અને તે ખુલ્લી જમીનનો ઉપયોગ ન કરો ત્યાં સુધી તે તમારી પાસે ઝરૂરથી વધારાની મિલકતમાં ગણાશે, માટે તમો સસરા પાસેથી કે અન્ય કોઈ પાસેથી મકાન બનાવવા વ્યાજની રકમ વસૂલ કરો એ જાઈઝ નથી, અલબત્ત તમો પ્રથમ કોઈ પાસેથી કર્ઝ લઈને મકાન બનાવી લો અને જયારે તેમાં રહેવાનું શરૂ કરી દો અને તમારી પાસે કર્ઝ ભરપાઈ કરવાની વ્યવસ્થા ન હોય તો મકરૂઝ (દેવાદાર) બની ગયા પછી કર્ઝ અદા કરવા સસરા પાસેથી કે અન્ય કોઈની પાસેથી ઝકાતની તથા વ્યાજની રકમ વસૂલ કરો એ જાઈઝ ગણાશે. (શામી : ર)
Log in or Register to save this content for later.