Chapter : ઝકાત
(Page : 290-291)
સવાલ :– પરદેશમાં રહેતા ભાઈઓના ફિત્રા અહિંયાથી આપે તો અહિંયા નું ચલણ આપવું પડે કે જે દેશમાં તેઓ રહેતા હોય ત્યાંનું ચલણ આપવું પડે? પરદેશથી એ લોકો અહિંયા પૈસા મોકલે નહિ એમના ફિત્રા અહિંયાથી જ આપે તો કેવી રીતના આપવા પડે?
જવાબ :– પરદેશમાં રહેતા ભાઈનો સદકએ ફિત્ર અહિંયા દેશમાં જો ઘઉંથી આપવામાં આવે તો એક કિલો ૬૪૦ ગ્રામ આપવામાં આવશે અને જો રોકડ રકમ આપવામાં આવે તો બેહતર એ છે કે તે ભાઈ પરદેશમાં જયાં રહેતો હોય અને ત્યાં ઘઉંનો જે ભાવ ચાલતો હોય તે ભાવ મુજબ તે દેશના એક કિલો ૬૪૦ ગ્રામ ઘઉંની રોકડ રકમ ગરીબ મુસલમાનોને આપવી જોઈએ. પરદેશમાં રહેતા જે લોકોનો સદકએ ફિત્ર અહિંયા આપવામાં આવે તો તે પરદેશ વાસીઓની ઈજાઝત અને રજા મેળવવી ઝરૂરી છે. તેઓને જાણ કર્યા વગર અહિંયા અદા કરવામાં આવશે તો અદા નહિ થાય. (શામી ર / ૭૦,૭પ)
Log in or Register to save this content for later.