Chapter : ઝકાત
(Page : 287-288)
સવાલ :– એક માણસની નાબાલિગ અવલાદ પાસે એટલો માલ છે કે જેનાથી સદકએ ફિત્ર વાજિબ થાય છે તો બાપને એના તરફથી અદા કરવો પડશે ?
જવાબ :– જો નાબાલિગ અવલાદ પાસે એટલો અને એવો માલ છે કે જેનાથી સદકએ ફિત્ર વાજિબ થાય છે તો એવી અવલાદનો સદકએ ફિત્ર બાપના શિરે વાજિબ નથી કે તે પોતાના માલમાંથી અદા કરે. હાં, પોતે નાબાલિગના માલમાંથી અદા કરી આપવો જોઈએ, કારણ કે તેના ઉપર વાજિબ છે જો બાપ હાલ તેમના માલમાંથી પણ અદા નહિ કરે તો બાલિગ થયા પછી અવલાદના શિરે અદા કરવો વાજિબ રહેશે.
تجب ( علی کل) حر (مسلم) ولو صغیرا مجنوناً ذی نصاب فاضل عن حاجتہ الأصلیۃ (درمختار(
قال فی البدائع واما العقل والبلوغ فلیسا من شرائط الوجوب فی قول ابی حنیفۃؒ وأبی یوسفؒ حتی تجب علی الصبی والمجنون اذا کان لھما مال ویخرجھما الولی من مالھما (درمختار ۲؍۹۹)
Log in or Register to save this content for later.