Chapter : ઝકાત
(Page : 279)
સવાલ :– અમારા દેશમાં કોઈ વ્યકિતએ કોઈ આવકપાત્ર કામ ન કર્યું હોય તો પણ ૬પ વર્ષની ઉમર થયા પછી સરકાર તેને એક ચોકકસ રકમ આપે છે તો એ સરકારી રકમ લેવી જાઈઝ છે કે નહિ ? અને મઝકૂર રકમ ૬પ વર્ષની ઉંમરવાળા માણસ માટે હલાલ ગણાય કે નહિ? અને મઝકૂર રકમ મસ્જિદમાં આપી શકાય કે નહિ ? અને તે રકમથી હજ – ઉમરહ પઢાય કે નહિ ?
જવાબ :– તમારા દેશના કાયદા મુજબ જે માણસ મઝકૂર રકમ લેવાનો ખરેખર હકદાર હોય અને તે રકમ લેવા માટે તેણે મૌખિક કે લેખિત કોઈ જૂઠી રજૂઆત અને અન્ય કોઈ નાજાઈઝ કામ ન કરવું પડે તો તેવા માણસ માટે મઝકૂર રકમ લેવી જાઈઝ છે અને તે રકમ તેના માટે હલાલ છે, કારણ કે તે એક સરકારી સહાય છે, જે મોટી ઉંમરના માણસોને આપવામાં આવે છે અને મઝકૂર રકમ મસ્જિદમાં આપવી અને તેનાથી હજ – ઉમરહ જેવા નેકીના કામો કરવા પણ જાઈઝ છે.
Log in or Register to save this content for later.