[ર૩૩] ખેતીની ઝકાત ગાંડા અને નાબાલિગ ઉપર પણ વાજિબ છે

Chapter : ઝકાત

(Page : 275)

સવાલ :– તિજારતી માલ સામાન અને રોકડની ઝકાતની જેમ ઉશ્રના વાજિબ થવા માટે ખેત માલિકનુ આકિલ અને બાલિગ હોવું શર્ત છે કે નહિ? શું મજનૂન (ગાંડા) વ્યકિત અને નાબાલિગ ઉપર પણ તેના ખેત ઉત્પાદન ઉપર ઉશ્ર વાજિબ છે?

જવાબ :– ઉશ્રના વાજિબ થવા માટે ખેત માલિકનુ આકિલ અને બાલિગ હોવું પણ શર્ત નથી. ગાંડા (બે અકકલ) અને અકલમંદ ત્થા બાલિગ અને નાબાલિગ દરેક વ્યકિતના ખેત ઉત્પાદનની ઝકાત (ઉશ્ર) આપવી વાજિબ અને લાઝિમ છે અને મજનૂન ત્થા નાબાલિગના વાલીએ તેમના માલમાંથી ઉશ્ર અદા કરવાનુ રહેશે.    (શામીઃભા–ર)

Log in or Register to save this content for later.