[ર૩ર] ખેતીની ઝકાત ગરીબ ઉપર પણ ઝરૂરી છે

Chapter : ઝકાત

(Page : 274-275)

સવાલ :– ખેતીની પેદાવારમાં ઉશ્ર વાજિબ થવા માટે તિજારતી માલ અને રોકડની ઝકાતની જેમ ખેત માલિકનું અથવા ખેડૂતનું માલદાર હોવું શર્ત છે કે નહિ? શું ગરીબ મુસલમાન ઉપર પણ ખેતીની પેદાવારમાં ઉશ્ર વાજિબ છે ?

જવાબ :– ઉશ્રના વાજિબ થવા માટે ખેત માલિકનુ કે ખેડૂતનુ માલદાર હોવું શર્ત નથી. માલદાર અને ગરીબ દરેક મુસલમાન ઉપર ખેત ઉત્પાદનની ઝકાત આપવી ઝરૂરી અને લાઝિમ છે. (શામી–ર)

Log in or Register to save this content for later.