[ર૧ર] ઝકાતના મુસ્તહિકની દઅવત ખાવી

Chapter : ઝકાત

(Page : 249-250)

સવાલ :– (૧) જે માણસ સદકહ, ઝકાત અને ખૈરાત વગેરે લેતો હોય અને તેણે દઅવત આપી હોય ચાહે તે લગ્નની દઅવત હોય, તેને ત્યાં દઅવતમાં જવાય કે નહિ?  અને તે લોકો કોઈ બિરાદરીના હોય તો અને એમ કહે કે આ તો અમારો હક છે તો શું આવા માણસોની દઅવત ખાઈ શકાય?

જવાબ :– (૧) સદકહ અને ખૈરાતના હકદાર માણસને ત્યાં શાદી કે અન્ય પ્રકારની દઅવત ખાવા જવું જાઈઝ છે. અલબત્ત,  શાદીની દઅવતના સ્થળે નાજાઈઝ પ્રવૃતિઓ થતી હોય તો ન જવું જોઈએ.          (શામી–ર/પ)

Log in or Register to save this content for later.