Chapter : ઝકાત
(Page : 243-244)
સવાલ :–અમારા ગામની વસ્તી અંદાજે રપ૦૦ થી ૩૦૦૦ માણસોની છે. ગામમાં મદ્રસહ, પ્રા.શાળા, ખાનગી પ્રા. શાળાની સગવડ છે.
મદ્રસહમાં અંદાજે ૪૦૦ બાળકો દીની તા’લીમ લઈ રહૃ।। છે અને ૧૪ થી ૧પ મુદર્રિસો તાલીમ આપી રહૃ।। છે.
એઝયુકેશન ટ્રસ્ટની ખેતી તથા મકાન ભાડાની વાર્ષિક આવક અંદાજે અઢી થી ત્રણ લાખ હશે. જેની સામે મુદર્રિસોનો પગાર, લાઈટ પાણી અને મદ્રસહની ભૌતિક સુવિધાઓ માટે ર।। થી ૩ લાખ વાર્ષિક ખર્ચ થાય છે, કહેવાનો અર્થ એ છે કે આવક – જાવક સરભર થઈ જાય છે.
મદ્રસહમાં દિવસે દિવસે બાળકોની સંખ્યા વધતી હોવાથી મકાનની સગવડ અપૂરતી થતી જાય છે, વળી હાલમાં મદ્રસહમાં મકાનો મરામત ખર્ચ માંગે છે, જેથી આવકની કમીને લઈ કેટલાક ઝરૂરી કામ પણ મુલતવી રાખવા પડે છે.
તો આપ સાહેબને પૂછવાનું કે ગામમાં મદ્રસહ માટે ઝકાતની રકમ લઈ શકાય કે કેમ ?
ઝકાતની રકમ મેળવી હીલહ કરી વાપરી શકાય કે કેમ?
ટ્રસ્ટ સંચાલિત ખાનગી શાળા પણ ચાલે છેે, તો શું તેની ભૌતિક સુવિધા માટે ઝકાતની રકમ મેળવી ઉપયોગ કરી શકાય કે કેમ?
આમ, કોઈ સાહિબે ખૈર ઝકાતની રકમ મદ્રસહ પર મોકલે તો સ્વીકારવી કે કેમ?
જવાબ :– જે ગામના રહેવાસીઓ આર્થિક રીતે સુખી હોય, જયાંના રહીશોનો મોટો ભાગ શરઈ દ્રષ્ટિએ માલદાર હોવાથી ઝકાત આપનાર હોય તેવા ગામના સ્થાનિક મકતબ, મદ્રસા અને ટ્રસ્ટ સંચાલિત ખાનગી શાળાના સંચાલન ખર્ચ માટે ઝકાતની રકમનો ઉપયોગ ન કરવો જોઈએ. બલ્કે લિલ્લાહ રકમનો ચંદો કરી તઅલીમી અને તઅમીરી ઝરૂરતો પૂરી કરવી જોઈએ.
અલબત્ત, ગામના મદ્રસાની અને શાળામાં પઢતા અને ભણતા મુસ્લિમ ગરીબ બાળકો જે ઝકાતના હકદાર હોય તેમની તા’લીમી ઝરૂરતો માટે પૂરતી હોય એટલી ઝકાતની રકમ ટ્રસ્ટ સ્વીકારી શકે છે અને ઝકાત આપનાર ભાઈઓની ઝકાત અદા થઈ થાય એ રીતે ગરીબ મુસ્લિમ બાળકો માટે ખર્ચ કરી શકાય છે. આર્થિક રીતે શકિતશાળી હોય એવા ગામના ગરીબ–માલદાર રહીશોના બાળકોની તા’લીમી વ્યવસ્થા માટે ઝકાતની રકમ હીલો કરીને વાપરવી એ ઈસ્લામી તા’લીમ અને ગેરતના અનુરૂપ અને શોભનીય નથી. (શામી–ર)
Log in or Register to save this content for later.