[ર૦૧] બયતુલમાલની રકમ બેંકમાં જમા રાખવી

Chapter : ઝકાત

(Page : 239)

સવાલ :– અમારા શહેરમાં મારા મહોલ્લામાં એક ”બયતુલમાલ– કમીટી” છે, જે ઝકાતની ઉઘરાણી કરી ઝરૂરતમંદોને ઝકાતના માલમાંથી દવા, અનાજ, શૈક્ષણિક હેતુ માટે મદદ કરે છે.

               હવે આ બયતુલમાલમાં છેલ્લા વર્ષથી બેથી અઢી લાખનું ભંડોળ એકત્ર થયેલ છે, આ નાણા કમીટીએ બેંકમાં મુકેલ છે. આ નાણા મારી જાણ મુજબ ખૂબ જ સમયથી (બે–ત્રણ વર્ષથી) બેંકમાં છે તેનો ઉપયોગ કમીટી કરતી નથી. પરંતુ તેના બેંક વ્યાજમાંથી મસ્જિદની મુતરડી માટે વ્યાજની રકમ આપે છે, બીજા શૈક્ષણિક હેતુસર વ્યાજમાંથી રકમ આપે છે, પરંતુ ઝકાતના માલમાંથી કશો જ ખર્ચ કરતી નથી. તો આ રીતે ઝકાતના નાણા વર્ષો વર્ષ બેંકમાં રાખવા જાઈઝ છે?

જવાબ :– બયતુલમાલની કોઈ પણ પ્રકારની રકમ વ્યાજ લેવાના હેતુથી બેંકમાં જમા કરવી અને જમા રાખવી જાઈઝ નથી અને બયતુલમાલમાં આવેલ ઝકાતની રકમ એક વર્ષ પૂરૂં થતા પહેલાં ઝકાતના હકદારોને આપી દેવી જોઈએ તાકે ઝકાત આપનારની ઝકાત અદા થઈ જાય, મઝકૂર રકમ વર્ષો સુધી જમા રાખવી દુરૂસ્ત નથી.           (શામી–ર)

Log in or Register to save this content for later.