[ર૦૦] મકતબના નિભાવ માટે ઝકાતનો હીલો

Chapter : ઝકાત

(Page : 238-239)

સવાલ :– નેત્રંગ ગામ ચાર રસ્તા ઉપર એક મકતબ ચાલુ કરેલ છે જેને પાંચ વર્ષ થઈ ગયા છે. પહેલા મુદર્રિસનો પગાર લિલ્લાહ રકમથી ચૂકવતા હતા. પરંતુ પાછલા બે વર્ષથી લિલ્લાહ રકમથી મદ્રસાના મુદર્રિસનો પગાર મુશ્કેલ હોવાથી ઝકાતની રકમનો હીલો કરી પગાર ચૂકવીએ છીએ અને આ મુજબ અમો હીલો કરીએ છીએ. મસરફે ઝકાતમાંથી એક માણસને હમો મદ્રસામાં લિલ્લાહ રકમ આપવા ઉપર ફઝીલતો બતાવીએ છીએ અને તે માણસ પૈસા ન હોવાનો ઉઝર બતાવે છે, હમો તેને કર્ઝના તૌર પર પૈસા આપીએ છીએ પછી તે રકમ મદ્રસાને લિલ્લાહ આપે છે. ત્યાર બાદ અમો તેને ઝકાતની રકમનો માલિક બનાવી હમો જે પૈસા તેને કર્ઝ પેટે આપ્યા હતા તે વસૂલ કરીએ છીએ. સવાલ મુજબ અમારી ઝકાત અદા થઈ જાય છે કે નહિ? અને આ શકલ ઉપર અમલ કરવો જાઈઝ છે કે નહિ?

જવાબ :– સવાલમાં લખવા મુજબ હીલાની સૂરત જાઈઝ છે અને આ પ્રમાણે હીલો કરવાથી ઝકાત અદા તો થઈ જશે. પરંતુ મકતબ અને સ્થાનિક મદ્રસા માટે હીલો કરી ઝકાતની રકમનો ઉપયોગ ન કરવામાં આવે બલ્કે મદ્રસાની વહીવટદાર કમીટી લિલ્લાહ રકમ જમા કરવાની મહેનત અને ફિકર કરે અને સીધી લિલ્લાહ રકમથી મદ્રસાનો નિભાવ ખર્ચ પૂરો કરવામાં આવે.                                  (ઈ.ફતાવા–ર)

Log in or Register to save this content for later.