Chapter : ઝકાત
(Page : 239-240)
સવાલ :– સદર કમીટીએ ઝકાતના અમૂક રૂપિયા એક સહકારી મંડળીમાં મુકયા છે જે બેંક હવે બંધ થઈ ગઈ છે. તો આવા ડૂબી ગયેલ ઝકાતના રૂપિયાનું શું?
જવાબ :–બયતુલમાલમાં ઝકાત આપવાથી અને તે રકમ જમા કરેલ બેંકના બંધ થઈ જવાથી મળી નહિ તો ચાલશે, પરંતુ ઝકાત આપનારે આ સૂરતમાં ફરીથી ઝકાત આપવી એ એહતિયાતની વાત છે.
બયતુલ માલ કમીટી બેંકમાં ઝકાતની રકમ જમા કરાવવા બદલ અને હકદારોને ન પહોંચાડી બેંકમાં રોકી રાખવાથી ડૂબી જવા બદલ ગુનેહગાર ઠરશે અને તેમણે એટલી રકમ પોતાની પાસેથી ગરીબોને આપી દેવી જોઈએ. (શામી–ર)
Log in or Register to save this content for later.