Chapter : ઝકાત
(Page : 261-262)
સવાલ :– (ર) ૧– મુહંમદ બિન કાસિમ (રહ.)ના સમયથી લઈને બ્રિટીશ સામ્રાજય પહેલાં ભારતની વિજયી જમીનો બાબત મુસ્લિમ વિજેતાઓના અમલનો દ્રષ્ટિકોણ શું હતો? શું તે જમીનો પર ઉશ્ર લાગુ કરવામાં આવ્યો કે ખિરાજ? શું તે જમીનો મુસ્લિમોને વહેંચી દેવામાં આવી કે પછી ગેર મુસ્લિમોના કબ્ઝામાં બાકી રાખી તેના ઉપર કોઈ ખાસ વેરો લાદવામાં આવ્યો.
ર– અંગ્રેજ શાસનના આરંભકાળથી ૧૯૪૮ સુધી જમીનોની શું હેસિયત હતી. ભારતના અલગ અલગ રાજયોમાં આ બાબતે જે તરીકો અપનાવવામાં આવ્યો તેની ચોખવટ જોઈએ છે.
જવાબ :– (ર) ૧–ર : મુહંમદ બિન કાસિમ (રહ.)થી લઈ અંગ્રેજોના શાસનકાળ સુધી હિન્દુસ્તાની જમીનોની હાલત વિવિધ પ્રકારની રહી, કેટલીક જમીનો ઉશ્રી હતી તો કેટલીક ખિરાજી, અને અંગ્રેજી શાસનકાળમાં હિન્દુસ્તાની જમીનોની હેસિયત અલગ અલગ હતી. આ ઐતિહાસિક પરિસ્થિતીની વધુ વિગત હઝરત મવલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.)એ પોતાની કિતાબ ”ઈસ્લામ કા નિઝામે અરાઝી”માં વર્ણન કરી છે.
Log in or Register to save this content for later.