[રપ૯] ગરીબને મકાન માટે વ્યાજની રકમ

Chapter : ઝકાત

(Page : 304)

સવાલ :–  હું વ્યાજની રકમ દર વર્ષે એક ધાર્મિક સંસ્થામાં ત્યાં તાલીમ પ્રાપ્ત કરતા બાળકોના રિફાહી કામો માટે આપુ છું. હવે એક હાફિઝે કુર્આન જેઓ ૩પ વર્ષથી વતનથી દૂર રહી દીની ખિદમત આપી રહૃ।।  છે જેઓ સાહિબે નિસાબ નથી, પોતાના નામે  કોઈ મકાન કે મિલ્કિયત ધરાવતા નથી એમના પરિવાર માટે મકાનની કોઈ  જોગવાઈ ન થતાં એમના એક સંબંધીએ એમને પ્લોટની ખરીદી કરી આપી પરંતુ મકાન બનાવવાની કોઈ સગવડ ન થતાં એવણ મને કહયા કરે છે કે મને મકાન બનાવવા માટે ઈન્ટરેસ્ટની રકમથી મદદરૂપ થાઓ, તો શું હું એમને ઈન્ટરેસ્ટની રકમથી મદદરૂપ થઈ શકું. બીજું કે મારી આ મદદ ફકત એમને જ વ્યકિગત રૂપે ગણાય જયારે સંસ્થામાં સામુહિક રીતે મદદ ઉપયોગી થાય છે, બીજું કે હાફિઝે કુર્આનને આ રીતે મદદ કરવામાં કોઈ વાંધો ખરો ? વિગત જણાવવા વિનંતી છે.

જવાબ :– પ્રથમ હાફિઝ સાહેબ કર્ઝ લઈને મકાન બનાવી લે અને જયારે તેઓ કર્ઝ  લેવાથી દેવાદાર થઈ જાય તો હવે તેઓ ઝકાતના હકદાર ગરીબ મુસલમાન થઈ જવાથી તેઓને મઝકૂર કર્ઝ ચૂકવવા માટે સવાબની નિય્યત વગર હરામ રકમથી છુટકારાની નિય્યતથી વ્યાજની રકમ આપવામાં આવે એ સૂરત જાઈઝ છે. કર્ઝદાર થતાં પહેલાં વ્યાજની મોટી રકમ તેઓને આપવી કરાહતથી ખાલી નથી.           (શામી – ર)

                અને સાર્વજનિક સામૂહિક ઉપયોગની જગ્યામાં વ્યાજની રકમ આપવા કરતાં આ રીતે  ઝકાતના હકદાર ગરીબ મુસ્લિમને સવાબની નિય્યત વગર વ્યાજની રકમ આપવી એ વધુ યોગ્ય છે.  (ઈ. મુફતીન)

Log in or Register to save this content for later.