[રપ૬] બકર માટે કરેલો ચંદો બીજાને આપવો

Chapter : ઝકાત

(Page : 302)

સવાલ :– ઝૈદ માણસે બકર માણસ માટે ઉઘરાણું કર્યું જે રકમ બેંકમાં જમા છે હવે બન્નેવ વચ્ચે તકરાર પડી, જેથી ઉઘરાણું કરેલી ચંદાની રકમ ઝૈદ બકરને આપવા ચાહતો નથી, બીજી વ્યકિતને આપવા ચાહે છે અથવા જેની પાસેથી ચંદાની રકમ ઉઘરાવી છે તેને આપી દે. તો પૂછવાનું એ કે શું જેને માટે ચંદો કર્યો તેને આપે ? કે બીજી વ્યકિતને આપે ? કે જેની પાસેથી ચંદો વસૂલ કર્યો છે તેને ? પહેલી સૂરત જેને માટે ચંદો કર્યો છે તેને તો રકમ આપવાનો નથી જ. બીજી ત્રીજી સૂરત વાળાને એ રકમ આપી શકે કે નહિ ?

જવાબ : –  જો મઝકૂર ચંદો ઝૈદે બકરના  કહેવાથી કર્યો હોય તો મઝકૂર રકમનો માલિક બકર છે. હવે તે રકમ આપનારને પરત આપવી અથવા બકરને છોડીને ત્રીજી વ્યકિતને આપવી દુરસ્ત અને જાઈઝ નથી. આ સૂરતમાં મઝકૂર રકમ બકરને જ આપવી ઝરૂરી છે અને જો મઝકૂર ચંદો ઝૈદે બકરના કહેવાથી ના કર્યો હોય, બલ્કે આપમેળે કર્યો  હોય અને બકરનું નામ લઈને કર્યો હોય તો રકમ આપનારને તે રકમ પરત આપવી જાઈઝ છે બકરને આપવી ઝરૂરી નથી અને બકર સિવાય ત્રીજી વ્યકિતને આપવા માટે રકમ આપનાર વ્યકિતની ઈજાઝત લેવી ઝરૂરી છે.                 (શામી : ર)

Log in or Register to save this content for later.