[રપ૧] સદકએ ફિત્રમાં જવાર અને ચણા આપવા

Chapter : ઝકાત

(Page : 293)

સવાલ :– સદકએ ફિત્રના મસ્અલામાં છે કે ઘઉં આપે તો પોણા ચાર શેર ઘઉં અથવા તેની કિંમત, પરંતુ જુવાર, ચણા આપે તો ડબલ આપે હાલાંકે અત્યારે જુવાર અને ચણાની કિંમત ઘઉના બરાબર અથવા વધીને છે તો ઘઉં સિવાય અન્ય કોઈ વસ્તુ આપવામાં આવે તો હાલની હાલતમાં કેટલું દેવું ?

જવાબ :– જો સદકએ ફિત્રમાં જુવાર અથવા ચણા આપવા હોય તો લગભગ સાડા ત્રણ શેર ઘઉંની જેટલી કિંમત થતી હોય તે કિંમતથી બજારમાં જેટલા પ્રમાણમાં ચણા અથવા જુવાર ખરીદી શકાય તેટલા પ્રમાણમાં (વજનની) જુવાર અથવા ચણા આપવાથી સદકએ ફિત્ર અદા થઈ જશે. ચણા અને જુવારથી સદકએ ફિત્ર આપવો હોય તો ઘઉંના વજનથી ડબલ આપવું ઝરૂરી નથી. બલ્કે ઉપરની વિગત મુજબ ઘઉંની કિંમતનો એઅતિબાર કરી આપવામાં આવશે. (શામી–ર)

Log in or Register to save this content for later.