Chapter : ઝકાત
(Page : 293-294)
સવાલ :– ગામની જુમ્આ મસ્જિદના પેશ ઈમામ જે રોજની બધી જ નમાઝો ઉપરાંત જુમ્આની નમાઝ પણ પઢાવે છે, તે ઈમામ જાતના ફકીર છે, ફકત રમઝાન માસમાં સવાલ કરી પૈસા ઉઘરાવે છે, તે આલિમ કે હાફિઝ નથી તો તેમની પાછળ મુકતદિયોની નમાઝ થાય કે નહિ ?
જવાબ :– જે માણસ પાસે પોતાના ખાવા, પીવા, પહેરવા, રહેવાની ઝરૂરતોનો સામાન છે તેવા માણસે લોકો પાસે સવાલ કરવો હલાલ નથી અને એવા માણસે સવાલની આદત બનાવી લેવી એ ગુનાહનું કામ છે. હદીસ શરીફમાં એવા માણસ માટે વઈદ આવેલી છે અને ફુકહાએ કિરામ એવા માણસને આપનારને પણ ગુનેહગાર લખે છે કારણ કે તે પોતાની આદત ઉપર બાકી રહેશે. આવા માણસની ઈમામત મકરૂહ છે. (શામી : ૬૯ : ભા. ર)
Log in or Register to save this content for later.