[૯૬] મરઘાં ઉછેર ધંધાની ઝકાત

Chapter : ઝકાત

(Page : 132-133)

સવાલ :– હું મરઘાં ઉછેરનો ધંધો કરૂં છું. અમો અમારા પોલ્ટ્રી ફોર્મમાં બોયલર મરઘાંના નાના બચ્ચાઓ મંગાવી તેને મોટા કરી વેચી દઈએ છીએ. દા.ત, અમે બચ્ચા, દાણા, દવા વગેરે માટે ૪૦,૦૦૦ રૂપિયા રોકાણ કરીએ અને બે મહિને આ બચ્ચાં મોટા થાય એટલે વેચી દઈએ અને આ રીતે વેચતા પાંચ હજાર રૂપિયા નફો મળે અને આ રીતે એક વર્ષમાં પાંચ વાર બચ્ચાંઓ લાવીએ અને મોટા કરી વેચી દઈએ તો આ પ્રમાણે પાંચ વારના અમોને રપ૦૦૦ રૂપિયા નફો મળે તો અમને પૂરું વર્ષ ધંધો કરતા જે રપ૦૦૦ રૂપિયા નફો મળ્યો ફકત તેની ઝકાત આપવાની અથવા આ ધંધામાં અમે જે ૪૦૦૦૦ રૂપિયા મૂડી રોકી છે તેની પણ ઝકાત આપવી પડશે, એટલે કે શું કુલ ૬પ,૦૦૦ રૂપિયાની ઝકાત આપવી પડશે ?

જવાબ :– તમારા માટે પોલ્ટ્રી ફોર્મના ધંધાની ઝકાત કાઢવાની રીત આ પ્રમાણે છે કે જયારે તમારું ઝકાતનું ઈસ્લામી વર્ષ પૂરું  થતું હોય અને ઝકાત વર્ષના અંતે ઝકાતનો હિસાબ કરો ત્યારે પોલ્ટ્રી ફોર્મમાં જેટલા મરઘાં મવજૂદ હોય તેની તે દિવસની વેચાણ કિંમત આંકવામાં આવે અને ધંધાની મૂડી અને નફાની જેટલી રકમ તે દિવસે જમા હોય, તે ટોટલ રકમમાંથી જો કોઈ કર્ઝ ચૂકવવાનું હોય તો તે બાદ કરી બાકીની રકમની અને જો કોઈ કર્ઝ ન હોય તો તે પૂરી (મરઘાંની કિંમત ત્ર મૂડી ત્ર નફાની) જમા રકમની ઝકાત આપવાની રહેશે. દાણ અને દવામાં રોકયેલ મૂડીની ઝકાત નહિ આપવી પડે અને પૂરા વર્ષમાં કેટલો ધંધો થયો અને વર્ષ દરમ્યાન કેટલો નફો મળ્યો તેનો હિસાબ કરવો અને  તે પ્રમાણે ઝકાત અદા કરવી ઝરૂરી નથી.      (શામી ભાગ – ર, આલમગીરી ભાગ –ર)

Log in or Register to save this content for later.