Chapter : ઝકાત
(Page : 131)
સવાલ :– મરઘાં ઉછેરનો ધંધો હોય, જેમાં દેશી મરઘાંનો, તેના બચ્ચાનો અને ઈંડાનો ધંધો થાય છે. તો શું તેની ઝકાત આપવી પડશે ? અને કેટલી આપવી પડશે? તેના ઉપર એક વર્ષ ગુજરવું ઝરૂરી છે?
જવાબ :– જો મરઘાં વેચવાની નિય્યતથી ખરીદયાં હોય તો તે મરઘાં, તેના બચ્ચા અને ઈંડા બધાની કિંમત ગણી જયારે માલદારી પાત્ર ઝકાતનું ઇસ્લામી વર્ષ પૂરૂં થાય ત્યારે તેની ઉપર અઢી ટકા લેખે તિજારતી માલની ઝકાત લાગુ પડશે અને જો મરઘી વેચવાની નિય્યતથી ન ખરીદી હોય બલ્કે ઈંડા અને બચ્ચા પ્રાપ્ત કરવાની નિય્યતથી ખરીદી હોય તો મરઘી, બચ્ચા અને ઈંડા ઉપર ઝકાત લાગુ નહિ પડે. (શામી ભાગ –ર / રર૩)
Log in or Register to save this content for later.