Chapter : ઝકાત
(Page : 130-131)
સવાલ :– પોલ્ટ્રી ફાર્મના મરઘાંની ઝકાતની ગણતરી કઈ રીતે કરવી ?
જવાબ :– પોલ્ટ્રી ફાર્મના માલદાર માલિકનું ઝકાતનું વર્ષ જે દિવસે પૂરૂં થતું હોય તે દિવસે પોલ્ટ્રીફાર્મના મરઘાંની બજારમાં જે વેચાણ કિંમત હોય તે કિમંતથી, પોલ્ટ્રી ફાર્મમાં તે દિવસે જેટલા મરઘાં હોય તેની કિંમત આંકવામાં આવે અને પોલ્ટ્રી ફાર્મના માલિક પાસે બીજો જે ઝકાત વાજિબ થવા પાત્ર માલ મૂડી જમા હોય તેની સાથે મઝકૂર મરઘાંની આંકેલી કિંમત મીલાવી અઢી ટકા લેખે ઝકાત કાઢવામાં આવે. (શામીભાગ–ર)
Log in or Register to save this content for later.