[૯ર] અઢાર વર્ષની ઉમરે મળતી સહાય ઉપર ઝકાત

Chapter : ઝકાત

(Page : 129-130)

સવાલ :– આ દેશમાં સરકારની એક યોજના છે. આ યોજના હેઠળ દરેક બાળકને પેદાઈશથી લઈને ૧૮ વર્ષની ઉમર સુધી ૪૦૦ ડોલરની મદદ કરે છે અને ૧૮ વર્ષની ઉંમર થયા પછી તેના નામ ઉપર જમા થયેલી પૂરી રકમ તેને જ આપવામાં આવે છે, તાકે તેને કોલેજમાં આગળ ભણવું હોય તો પોતે ખર્ચ કરી શકે, આ રકમ તેના વાલિદૈનને નથી મળી શકતી. જો કોઈ બાળક ૧૮ વર્ષની ઉમરથી પહેલાં મૃત્યું પામે તો પણ તેના નામ પર જમા થયેલ રકમ તેના વાલિદૈનને મળતી નથી, બલ્કે સરકાર તે રકમ ગરીબો અને મોહતાઝોમાં વહેંચી આપે છે. હવે સવાલ આ છે કે બાળક આ રકમનું માલિક ગણાય કે નહિ? અને ૧૮ વર્ષ પછી મઝકૂર પૂરી રકમ બાળકને મળી જાય તો તે રકમ ઉપર ઝકાત ફર્ઝ થાય કે નહિ? અને ઝકાત વાલિદૈને આપવી પડશે કે તેણે પોતે આપવી પડશે? અગર ઝકાત ફર્ઝ થાય તો પૂરા ૧૮ વર્ષની આપવી પડશે અથવા બાલિગ થયા પછીના વર્ષોની ?

જવાબ :– ૧૮ વર્ષની ઉમર પછી જયારે સરકાર મઝકૂર રકમ બાળકને આપશે અને બાળક તે રકમનો ઉપયોગ કરી શકશે ત્યારે તે બાળક તે રકમનો માલિક ગણાશે, માત્ર સરકારી યોજનામાં તેના નામ ઉપર રકમ જમા થવાથી તે રકમનું માલિક નહિ ગણાય અને જો તે બાળક બાલિગ થયા પછી અને રકમ મળતા પહેલાં સાહિબે નિસાબ માલદાર ન હોય તો રકમ મળ્યા પછી જયારે એક ઈસ્લામી વર્ષ પૂરું થઈ જાય અને તે વખતે તે માલદારીના નિસાબનું માલિક હોય તો તે વખતે તેની પાસે જેટલી રકમ જમા હોય તેની એક વર્ષની ઝકાત આપવી પડશે. મળેલી પૂરી રકમની ઝકાત નહિ આપવી પડે અને રકમ મળવા પહેલાંના વર્ષોની ઝકાત આપવી ફર્ઝ નથી. મઝકૂર જમા રકમની ઝકાત રકમના માલિકે પોતે આપવી પડશે, તેના વાલિદૈનના ઝિમ્મે નહિ ગણાય.         (શામી ભાગ –ર)

Log in or Register to save this content for later.