Chapter : ઝકાત
(Page : 126-127)
સવાલ :– અમારા કાકાના મૃત્યુ વખતે તેમના શિરે એક લાખ દેવું હતું. તેમના મૃત્યુ પછી કારોબાર તેમના છોકરાઓ પાસે આવ્યો અને હાલ ત્રણ લાખ દેવું થઈ ગયું છે અને ઘરનો નિભાવ કર્ઝની રકમ લઈને ચાલી રહયો છે, અલબત્ત, કાકાએ છોડેલી પ્રોપર્ટી મવજૂદ છે.
છોકરાઓ પાસે રહેવા માટે ઘર છે અને કાકાએ દરેક છોકરા માટે મકાન બનાવવાનું શરૂ કયુર્ં હતુ, પરંતુ તે મકાનોનું બાંધકામ પણ અધૂરૂં છે. તેમની પાસે ૩૦ વીંઘા જમીન છે અને દેવું ભરપાઈ કરવા માટે સાતથી આઠ વીંઘા જમીન વેચવી પડે તેમ છે. જો જમીન વેચવામાં આવે તો વાર્ષિક આવક ઓછી થઈ જાય અને ઘર ખર્ચના નિભાવમાં વધુ તકલીફ અને તંગી ઉભી થાય. મર્હૂમ કાકાના ચાર છોકરાઓ પરણેલા છે. ૧૮ માણસોનું કુટુંબ છે અને બધા છોકરાઓ ખેતીવાડીનું કામ કરે છે. મઝકૂર પરિસ્થિતીના કારણે અમે અમારી ઝકાત તેમને આપવા માંગીએ છીએ. તો તેઓ ઝકાત લેવાના હકદાર ગણાય કે નહિ?
જવાબ :– જે મકાનમાં બધા છોકરાઓ રહે છે જો તે રહેવાની ઝરૂરત માટે પૂરતુ હોય અને અધૂરા બાંધકામવાળા મકાનનોની કિંમતમાંથી ત્રણ લાખ કર્ઝ બાદ કરતાં પણ દરેક વારસદારના હિસ્સામાં ઘરોની કિંમતમાંથી સાડા બાવન તોલા (૬૧ર ગ્રામ – ૩૬૦ મી.ગ્રામ) ચાંદીની કિંમત બરાબર રકમ આવતી હોય તો તેમને ઝકાતની રકમ ન આપી શકાય અને જો ઘરોની કિંમતમાંથી રકમ બાદ કરતાં એટલી રકમ ન બચતી હોય તો તેમને ઝકાત આપી શકાય છે. (શામી : ર )
Log in or Register to save this content for later.