Chapter : ઝકાત
(Page : 122-123)
સવાલ :– એક વ્યકિત પાસે ૧૯૮૦થી સોનું અને ચાંદી છે અને તે માણસ ૧૯૮૦થી જ સાહિબે નિસાબ હતો અને હાલ પણ તે સાહિબે નિસાબ છે અને તેણે છેલ્લા બાવીસ વર્ષોથી ઝકાત અદા કરી નથી અને આજે તે બધા જ પાછલા વર્ષોની પૂરી ઝકાત અદા કરવા ચાહે છે. તો સોના ચાંદીની કિંમત કેવી રીતે ગણીને ઝકાત આપે, એટલે કે સોના ચાંદીની કિંમત આજના ભાવે ગણીને ઝકાત આપે અથવા જે તે વર્ષમાં જે ભાવ ચાલતો હતો તે ભાવથી કિંમત નકકી કરીને ઝકાત આપે?
જવાબ :– મઝકૂર માણસે મઝકૂર સોના ચાંદીની પાછલા વર્ષોની ઝકાત આપવી પડશે અને જે તે વર્ષે સોના ચાંદીનો જે ભાવ હતો તે ભાવથી તે વર્ષની ઝકાતનો હિસાબ કરવામાં આવશે અને દરેક વર્ષની સોના ચાંદીની કિંમતમાંથી પાછલા વર્ષની ઝકાતના પ્રમાણમાં રકમ બાદ કરીને તે વર્ષની ઝકાતનો હિસાબ કરવામાં આવશે. દા.ત. પહેલા વર્ષે પ૦ હજારની ૧રપ૦ રૂપિયા ગણવામાં આવી તો બીજા વર્ષે પ૦ હજારમાંથી ૧રપ૦ રૂપિયા બાદ કરી ઝકાતનો હિસાબ કરવામાં આવશે એટલે કે ૪૮,૭પ૦ રૂપિયાની ઝકાત આપવાની રહેશે અને ત્રીજા વર્ષની ઝકાત માટે સોના ચાંદીની જે કિંમત થાય તેમાંથી પહેલાં અને બીજા વર્ષની ઝકાત બાદ કરીને ઝકાતનો હિસાબ કરવામાં આવશે અને એ જ પ્રમાણે ચોથા–પાંચમાં અને તે પછીના વર્ષોની ઝકાતનો હિસાબ કરવામાં આવશે. (શામીઃ – ર)
Log in or Register to save this content for later.