Chapter : ઝકાત
(Page : 121-122)
સવાલ :– મેં છ મહિના પહેલાં અમદાવાદની એક પુસ્તક પ્રકાશન કંપનીમાં એક હજાર રૂપિયા ભરેલા છે. જેમાં સ્કીમ મુજબ મને આજીવન દર વર્ષે રૂપિયા રપ૦ના પુસ્તકો મળશે. જે દિવસે મેં એક હજાર રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા તે જ દિવસે મને તે વર્ષના રૂપિયા રપ૦ના પુસ્તકો મળી ગયેલા. હવે આ વર્ષના પુસ્તકો મને જાન્યુઆરીથી ડિસેમ્બર ગમે ત્યારે મળશે. હવે સવાલ એ છે કે મેં રૂપિયા એક હજાર જમા કર્યા અને તેમાંથી ચાલુ વર્ષના રપ૦ રૂા. ના પુસ્તકો ખરીદી લીધા, એટલે જોવા જઈએ તો પુસ્તક કંપની પાસે હજુ મારા રૂપિયા ૭પ૦ જમા છે એમ કહેવાય. તો શું આ જમા રકમની ઝકાત અદા કરવી મારા માટે ઝરૂરી છે ?
જવાબ – સવાલમાં લખેલી વિગત મુજબ પુસ્તક પ્રકાશન કંપનીના આજીવન સભ્ય (લાઈફ મેમ્બર) બનવાનો મામલો શરઈ દ્રષ્ટિએ જાઈઝ નથી. માટે જો શકય હોય તો બાકીની જમા રકમ પરત વસૂલ કરી મામલો ખતમ કરી આપવો જોઈએ અથવા ચાર વર્ષોના પુસ્તકો ખરીદયા બાદ પુસ્તકો લેવાનું બંધ કરી દેવું જોઈએ અને હાલ કંપની પાસે પોતાની જમા રકમ રૂપિયા ૭પ૦ની ઝકાત અદા કરવી જોઈએ. (શામી : ર/૪)
Log in or Register to save this content for later.