[૭૬] સોનાની ઝકાત વર્તમાન ભાવથી આપવી પડશે, ખરીદ ભાવથી આપવી દૂરુસ્ત નથી

Chapter : ઝકાત

(Page : 109-110)

સવાલ :– મારા એક મિત્રની શાદી ૧૯૭રમાં થઈ હતી, તે વખતે સોનાનો ભાવ એક તોલાના રૂા ર૦૦/– હતો, એની પાસે દસ તોલા સોનું છે, દિવસે દિવસે સોનાના ભાવ વધતા જતા હોય છે અને આ ભાઈ એમની પાસેના સોનાના દાગીનાનો ઉપયોગ ઘરમાં પહેરવા સિવાય કરતા નથી, તો આ દસ તોલા સોનાની ઝકાત ખરીદભાવ પ્રમાણે આપવી કે હાલના ભાવ પ્રમાણે આપવી તે બાબત માર્ગદર્શન આપશો.

જવાબ :– મઝકૂર દસ તોલા સોનાની ઝકાત આપતી વખતે સોનાનો જે ભાવ ચાલતો હોય તે ભાવ પ્રમાણે ઝકાત આપવી ઝરૂરી છે. પોતાની ખરીદ કિંમત અને પડતર ભાવના હિસાબે ઝકાત આપવી દુરૂસ્ત નથી અને ખરીદ કિંમતના હિસાબે ઝકાત આપવામાં આવશે તો ફર્ઝ થતી ઝકાતમાંથી ઘણા થોડા પ્રમાણમાં ઝકાત અદા થશે, પૂરી ઝકાત અદા નહિ થાય. અસલ તો ઝકાતમાં ઝકાત પાત્ર માલનો ચાળીસમો  ભાગ આપવો ઝરૂરી છે, પરંતુ જો કોઈ માલદાર તે અસલ માલ ન આપવા ચાહે તો તેની કિંમત આપવી પણ જાઈઝ છે. જાહેર છે કે દસ તોલા સોનાનો ચાળીસમો ભાગ એટલે ૧/૪ તોલો સોનું ગરીબને આપવામાં આવે અને ગરીબ તેને બજારમાં વેચે તો તેને જે રકમ મળશે તે ઝકાત દેનારની ખરીદ કિંમતના હિસાબે નહિ મળે, બલ્કે સોનાના ચાલુ ભાવના હિસાબે મળશે.                              (શામી :ર/ રર)

Log in or Register to save this content for later.