[૧૭૧] સંસ્થા તા’મીરમાં ઝકાત ફંડમાંથી કર્ઝરૂપે વાપરે

Chapter : ઝકાત

(Page : 210-211)

સવાલ :– હમારા ગામની અંજુમનની બિલ્ડીંગનું કામ ચાલુ છે. તેમાં લિલ્લાહ રકમ ઘટી જતા ઝકાતની રકમ જે જમા હતી તેમાંથી લિલ્લાહ ખાતે કર્ઝ લઈ બાંધકામ ચાલુ રાખેલ છે. લિલ્લાહ ફંડમાં રકમ આવ્યેથી ઝકાત ફંડની રકમ જમા કરાવી આપીશું, તો શું આ રીતે ઝકાતની રકમ કર્ઝ લેવી જાઈઝ છે ?

જવાબ :– અંજુમન જેવી સંસ્થામાં લોકો અનેક પ્રકારની રકમો આપે છે અને તેના વ્યવસ્થાપકોને તે રકમોની યથા યોગ્ય વ્યવસ્થા કરવાની સત્તા અને ઈખ્તિયાર હોય છે અને તેના આધારે ઝકાત ફંડની રકમ બીજા ફંડ માટે, દા.ત, બાંધકામ ફંડ માટે કર્ઝ લેવી જાઈઝ છે, બાંધકામ માટે અનેક બાંધકામની લિલ્લાહ રકમ મળ્યા પછી ઝકાત ફંડમાં તેમાંથી કર્ઝ લીધેલી રકમ જમા કરવી ઝરૂરી છે અને વર્ષ પૂરૂં થતા પહેલા ઝકાત ફંડની રકમ યોગ્ય સ્થળે વપરાય જાય એ બેહતર છે.

 (શામી – ર/ પ૭, ઈ.ફતાવા–ર)

Log in or Register to save this content for later.