[૧૭ર] જુગાર રમનારને ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 211)

સવાલ :– શરઈ દ્રષ્ટિએ ઝકાતના હકદાર હોય તેવા બે કુટુંબના વડીલો પોતાના કુટુંબ સાથે મારા મહોલ્લામાં રહે છે. જેઓ મારી જાણ મુજબ જુગાર રમે છે. તો સદરહુ ભાઈઓને ઝકાતના નાણા આપી શકાય કે નહિ? એમને આપવાથી ઝકાત અદા થશે ?

જવાબ :– સદરહુ ભાઈઓને ઝકાત આપવાથી ઝકાત અદા તો થઈ જશે, પરંતુ જો એવો ભય હોય કે તેઓ આ રકમથી જુગાર રમશે તો તેઓને ઝકાત આપવી મકરૂહ છે અને ગુનાહના કામમાં મદદ કરવા સમાન છે, માટે આવી સૂરતમાં તે ઘરની ઓરતો અને બચ્ચાઓને આપવામાં આવે કે જે ગરીબ હોય તાકે તે લોકો પોતાની ઝરૂરતમાં વાપરી શકે.           (શામી – ર/૬૯)

Log in or Register to save this content for later.