[૧૬૩] સગાની મદદ માટે ઝકાતનો હીલો

Chapter : ઝકાત

(Page : 201-202)

સવાલ :– એક સાહેબનું કેહવું છે કે દર વર્ષે મારા ભાઈ મારા ઉપર ઝકાતની રકમ મોકલે છે અને લખે છે આ પૈસાનો હીલો કરી આપણા રિશ્તેદારો જે ઝકાતના હકદારો તો નથી પરંતુ એવી હાલત પણ નથી કે સારી રીતે ગુઝર બસર કરી શકે અને શરમના લઈ સવાલ પણ નથી કરી શકતા, તો મઝકૂર રકમનો હીલો કરી આપણા રિશ્તેદારોમાં તકસીમ કરી દેવી. તો આવો હીલો કરાવું તો મને કોઈ ગુનોહ કે વઈદ લાગુ પડશે? જવાબ આપી રેહબરી ફરમાવશો.

જવાબ :– ઝકાતની રકમ ગરીબોનો હક છે, માટે તેમાં પહેલેથી જ એટલે  હકદારને માલિકી ધોરણે પહોંચતા પહેલાં જ એવો આગ્રહ રાખવો કે પોતાના માલદાર રિશ્તેદારોમાં તેને વહેંચવામાં આવે એ દુરૂસ્ત નથી અને પોતે એ પ્રમાણે તકસીમ કરવાની જવાબદારી લેવી એ પણ દુરૂસ્ત નથી, કારણકે ઝકાતની રકમ ઝકાતના હકદારને સંપૂર્ણ માલીકી ધોરણે આપવી ઝરૂરી છે અને તેના હકદારને સંપૂર્ણ માલિકી ધોરણે આપી દીધા પછી તે રકમ ઉપર ઝકાત આપનારનો કે તેના તરફથી વ્યવસ્થા કરનારનો કોઈ અધિકાર ઈખ્તિયાર રહેતો નથી. અલબત્ત, જો ઝકાતનો હકદાર ઝકાતની રકમ લઈને તેને પોતાની માલિકીની રકમ સમજી કોઈના આગ્રહ કે દબાણ વગર પોતાની રાજીખુશીથી ઝકાત આપનારના માલદાર રિશ્તેદારોને હદિયા, બક્ષિશ તરીકે આપશે તો તેમાં વાંધો નથી.         (શામી– ર, ઈ.ફતાવા– ર)

Log in or Register to save this content for later.