Chapter : ઝકાત
(Page : 200-201)
સવાલ :– સૈયદ લોકોને ઝકાત આપવું કેવું છે ? આપી શકાય કે નહિ? એક મૌલાના સાહેબથી જાણવા મળે છે કે સૈયદ લોકોને ઝકાત આપી શકાય નહિ તો શું આ ખરૂં છે? અને હદીષથી સાબિત હોય તો હદીષનો ઈન્કાર કરનાર વિશે શું હુકમ છે?
જવાબ :– સાદાતને ઝકાત આપવી નાજાઈઝ છે. હદીષ શરીફમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે સદકહ મુહંમદ અને આલે મુહંમદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) માટે હલાલ નથી અને બીજી હદીષમાં તેને લોકોના માલોનું ધોવાણ ફરમાવી હરામ ઠરાવી છે. માટે ઝાહિરુર્રિવાયત અને રાઝિહ એ છે કે બનૂ હાશિમ માટે આજે પણ ઝકાત હલાલ નથી. (મબસૂતઃ૩/૧ર, શામી–ર) અમૂક આલિમો વર્તમાન યુગમાં સાદાત માટે ઝકાતને જાઈઝ ફરમાવે છે અને કારણ એ બતાવે છે કે પહેલાના ઝમાનામાં ઈસ્લામી હુકૂમતના બૈતુલમાલ તરફથી સાદાતને ગનીમતનો પચ્ચીસમો ભાગ મળતો હતો જે આજકાલ નથી મળતો માટે ગરીબ સાદાતની ઝરૂરતો નિવારવા તેઓને ઝકાત આપવી જાઈઝ છે, પરંતુ ખરેખર હદીષ શરીફના શબ્દો ઉપર નજર કરવામાં આવે તો જે કારણે સાદાત માટે ઝકાત હરામ ઠરાવવામાં આવી છે તે લોકોના માલોનું ધોવાણ હોવું છે, તે કારણ આજે પણ બાકી છે અને સાદાતની ઝરૂરતો હદિયા અને નફલી સદકાતથી નિવારી શકાય છે, તે માટે હદીષથી હરામ સાબિત એવી ઝકાતને હલાલ કરવી યોગ્ય નથી. માટે જ હિન્દુસ્તાનના મોટા મોટા મુફતિયાને કિરામ આજે પણ સાદાત માટે ઝકાતને હરામ ફરમાવે છે જે તેઓના ફતાવા સંગ્રહોના અભ્યાસથી માલૂમ પડે છે. મઝકૂર હદીષનો ઈન્કાર કરનાર માણસ ગુમરાહ છે અને જો તેને તુચ્છ સમજી ઈન્કાર કરે તો કાફિર છે. (શર્હે ફિકહે અકબર ર૪૬)
Log in or Register to save this content for later.