[૧૬પ] વકીલ ઝકાતની રકમ અદલ બદલ કરે

Chapter : ઝકાત

(Page : 203-204)

સવાલ :– એક વ્યકિત ઉપર બહારથી ઝકાતનો ગરીબોને તકસીમ કરવાનો ડ્રાફટ આવે છે. આ ડ્રાફટ બેંક ખાતામાં જમા થશે જ. જેના નામનો ડ્રાફટ આવેલ છે તે વ્યકિત તેટલી જ રકમ પોતાની પાસેથી મોકલનારની સુચના મુજબ ગરીબોને તકસીમ કરી આપે તો મોકલનારની ઝકાત અદા થઈ જશે? જેના ઉપર ડ્રાફટ આવ્યો છે તે વ્યકિત ઝકાત તકસીમ કર્યા બાદ અથવા તેટલી રકમ પોતાના પાસેથી અલગ કર્યા બાદ બેંકમાં જમા થયેલ તે રકમનો પોતાના માટે ઉપયોગ કરી શકે?

જવાબ :– ઝકાતમાં માલિકે નિસાબ માલદારે મોકલેલી કે આવેલી રકમ જ હકદારોને ઝકાત પેટે આપવી ઝરૂરી નથી, બલ્કે જો તે રકમ પોતાની પાસે જમા રેહવા દઈ પોતાની માલિકીની રકમ એ નિય્યતે તેની ઝકાત અદા કરવા માટે હકદારોને આપે કે હું પોતાની રકમ આપીને તેની જમા રકમમાંથી મારી રકમ લઈ લઈશ તો પણ રકમ મોકલનારની ઝકાત અદા થઈ જશે.                      (શામી–ર/૧૧)

Log in or Register to save this content for later.