Chapter : ઝકાત
(Page : 183-184)
સવાલ :– ઉશ્ર અને ઝકાત બેવ આપવાના સમય પ્રમાણે તેની રકમ બનાવી, રકમની હિફાઝત માટે નહિ પણ અલગ હિસાબ રહે અને સુગમતા ઘટે તેટલા ખાતર બેંકમાં અલગ ખાતુ રાખી જમા કરે, પછી ઝરૂરત મુજબ ચેક દ્રારા હકદારને ક્રમે ક્રમે આપે તો ચાલે કે કેમ?
જવાબ :– ઉશ્ર અને ઝકાત ત્યારે અદા થયેલા ગણાશે જયારે હકદારને માલિક બનાવી આપવામાં આવે, તેથી પહેલાં અદા કરેલ નહિ ગણાય ચાહે પોતાની પાસે હિસાબ કરી અલગ ખાતામાં જમા કરી દેવામાં આવે અને ઉશ્ર – ઝકાત જલ્દી અદા કરી દેવું ઝરૂરી છે જો ચાર – છ મહિના જમા રાખી ક્રમે ક્રમે આપે તો ગુંજાઈશ છે, પરંતુ ઉશ્ર અને ઝકાતની રકમના હિસાબમાં જયારે જેટલા પ્રમાણમાં આપીએ તે સમયના ચાલતા બજાર ભાવ મુજબ હિસાબ કરવામાં આવશે પહેલેથી કરી રાખેલો હિસાબ માન્ય નહિ ગણાય.
Log in or Register to save this content for later.