[૧૪૪] આજકાલ સય્યિદને ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 180-181)

સવાલ :–  હું સય્યિદ છું અને આર્થિક સ્થિતિએ ગરીબ છું મારે મારી બાળકીને મદ્રસતુલ બનાતમાં દાખલ કરવી છે પણ તેની વાર્ષિક ફીસ ૩૩૦૦/– રૂપિયા છે જે ભરવા હું શકિતમાન નથી તો આવા સંજોગોમાં હું મારી બાળકીની ફીસ ઝકાતની રકમમાંથી ભરી શકું કે કેમ? સય્યિદ જાતિ માટે ઝકાત લેવા માટે શરઈ મસ્અલાનું વિવરણ કરી આભારી થશો.

જવાબ :– સય્યિદ બિરાદરીના કોઈ સભ્યને ઝકાત આપવી અને તેઓએ લેવી જાઈઝ નથી, માટે કોઈ માલદારે સય્યિદની પુત્રીને ફીસ ભરવા માટે પણ ઝકાત આપવી અને સય્યિદ પુત્રીએ અથવા તેના વાલીએ એ હેતુથી પણ ઝકાત લેવી જાઈઝ નથી. આવી ગરીબ વ્યકિતની અગવડ હદિયા, બક્ષિસ અને નફલ સદકાતથી દૂર થઈ શકે છે અને એક ઈલાજ એ પણ છે કે કોઈ હકદાર ગરીબ મુસ્લિમને ઝકાતનો માલિક બનાવી આપવામાં આવે અને તે રાજીખુશીથી આવા સય્યિદ ગરીબબંધુની શૈક્ષણિક ઝરૂરત પૂરી કરવા તેને હદિયા તરીકે આપી દે. અમુક આલિમોએ આજકાલ સય્યિદને ઝકાત આપવું જાઈઝ લખ્યું છે, પરંતુ બીજા માહિર આલિમોએ હદીષ અને કવાઈદની રોશનીમાં તેનો રદિયો આપેલ છે, માટે જ અનેક કિતાબોના હવાલા સહિત નાજાઈઝ હોવાનું રાઝેહ મંતવ્ય નકલ કરવામાં આવ્યું છે.

(શામી – ર/૬૬, ફતાવા રશીદિય્યહ – ૩૬પ, ઈ.ફતાવા – ર/ર૯  કિ.મુફતી –૪/રપ૬, અઝી.ફતાવા–૩૬૧, ઈ.મુફતીન–૪૬પ)

Log in or Register to save this content for later.