[૧૪૩] ઝકાત ગરીબોને કર્ઝ પેટે આપવ

Chapter : ઝકાત

(Page : 179-180)

સવાલ :– અમારા એક સંબંધી રમઝાનમાં ઝકાતની રકમ કાઢીને અલગ મૂકે છે જે રકમમાંથી ઝકાતના હકદારને ઘણી રકમ અપાય છે પછી થોડી રકમ બચે છે, જે એમની પાસે અલગ મૂકી રાખે છે અને ઝરૂરતમંદને લોન તરીકે આપે છે અને તે રકમ વાયદા મુજબ તે માણસ પાછા આપી જાય છે. આ રીતે ઝકાતની રકમ હાજતમંદને કામ લાગે છે. તો શું આ જાઈઝ છે કે નહિ તે જણાવશો.

જવાબ :– ઝકાતનું વર્ષ પૂરૂં થયેથી તૂરત ઝકાતનો માલ (રકમ) ગરીબોને માલિકી ધોરણે આપી દેવી ઝરૂરી છે અને અદા કરવામાં મોડુ કરવું મકરૂહ અને ગુનાહનું કામ છે. માટે ઝકાતની રકમ રોકી તે લોન તરીકે આપવામાં આવશે તો ઝકાતની અદાયગીમાં મોડું થશે. માટે તેમાંથી અમુક રકમ બચાવીને લોન તરીકે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.  વિના વ્યાજે કર્ઝ (લોન) આપવું મોટા સવાબનું કામ છે. પણ તે પોતાની મૂડી રોકાણમાંથી આપવું જોઈએ. ઝકાતની રકમનો તેમાં ઉપયોગ ન કરવો જોઈએ. ફકત ઝકાતની રકમ અલગ થવાથી ઝકાત અદા થતી નથી.                              (દુર્રે મુખ્તાર – શામી – ર/૧૩)

Log in or Register to save this content for later.