Chapter : ઝકાત
(Page : 178)
સવાલ :– મસ્જિદમાં મદ્રસો ચાલતો હોય તેવા ઈમામને પગાર મસ્જિદ તરફથી ઓછો મળે તેથી ઈમામ ન રહે અને મસ્જિદ તથા મદ્રસો બંધ રહે તો તેવી મસ્જિદના ઈમામને મદ્રસો ચાલતો રહે તે માટે ઝકાતની રકમ દર મહિને આપવામાં આવે તો તે જાઈઝ છે? મસ્જિદ તરફથી પગાર મળતો હોય તો ઉપરોકત ઝકાતની રકમ આપવી જાઈઝ છે?
જવાબ :– ઝકાતની રકમ પગાર તરીકે મુદર્રિસ અથવા ઈમામને આપવી જાઈઝ નથી. હા, જો તે ગરીબ હોય અને મદદ તરીકે આપવામાં આવે તો વાંધો નથી. (દુર્રે મુખ્તાર શામી – ર/૭૦)
Log in or Register to save this content for later.