[૧૪પ] વિદેશમાં ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 181-182)

સવાલ :– પરદેશમાં રહેનાર મુસલમાને પોતાની ઝકાત કઈ રીતે અદા કરવી?

જવાબ :– ઝકાત અદા કરવામાં એક તો હકદારને પહોંચાડવાની કાળજી રાખવી જોઈએ કે એવા ગરીબ મુસ્લિમને આપવામાં આવે જે સાદાત ખાનદાનમાંથી ન હોય, જો પોતે જે દેશમાં રહે છે ત્યાં એવા હકદાર માણસોનો અભાવ હોય અથવા બીજા દેશમાં પોતાના ગરીબ સગાવહાલાઓને મોકલવા ચાહે તો મોકલી શકે છે.

                બીજા નંબરે એ નિયમનો ખ્યાલ રાખે કે જે પ્રકારનો ઝકાતપાત્ર માલ પોતાની પાસે છે તે માલનો ચાળીસમો ભાગ અથવા ચાળીસમાં ભાગની કિંમત કે તે કિંમતનો બીજો કોઈ માલ ઝકાતરૂપે ફર્ઝ થાય છે અને જો તેની કિંમત અથવા તેની કિંમતનો બીજો માલ આપવો હોય અને કિંમત વિવિધ પ્રકારની પ્રચલિત હોય તો તે કિંમતનો એઅતિબાર કરવામાં આવે જેમાં ગરીબોને ફાયદો હોય. (શામી – ર/રર,૩૧)

Log in or Register to save this content for later.