[૧૩૮] તા’લીમી સ્કોલરશીપમાં ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 177)

સવાલ :– અમારી એક સંસ્થા છે સંસ્થામાં માલદાર સાહેબો ઝકાત આપે છે હવે એ ઝકાતમાંથી એવા તાલિબે ઈલ્મો (જેમના માં–બાપ સાધારણ સ્થિતિમાં હોય ઝકાત લેતા નથી) તેમને સ્કોલરશીપ આપી શકાય? શું જે સાહેબોએ સંસ્થા પર વિશ્વાસ કરી ઝકાત આપી છે તેમની ઝકાત અદા થઈ જાય છે? આ બાબત હવાલાઓથી જવાબ આપી અજરે અઝીમના હકદાર બનશો.

જવાબ :– જે તાલિબે ઈલ્મો સાહિબે નિસાબ ન હોય અને બાલિગ હોય તેઓને સ્કોલરશીપ તરીકે આપવાથી ઝકાત અદા થઈ જશે ચાહે તેઓના માં–બાપ શરઈ દ્રષ્ટિએ માલદાર હોય કે ન હોય અને જે તાલિબે ઈલ્મો ગરીબ ના–બાલિગ હોય તો  જો તેઓના બાપ શરઈ દ્રષ્ટિએ ગરીબ હોય તો આપી શકાય છે, અને જો માલદાર હોય તો તેઓને ઝકાત ન આપી શકાય અગર જાણ છતાં આપવામાં આવશે તો તેઓને ઝકાત આપનારની ઝકાત અદા થશે નહિ.      (શામી ર / ૬૬)

Log in or Register to save this content for later.