[૧૩ર] કોઈ શર્ત નકકી કરીને ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 172-173)

સવાલ :–  ઝકાતના હકદારને કોઈ શર્ત નકકી કરીને ઝકાત આપવી કેવું છે ? શું આ સૂરતમાં ઝકાત આપનારની ઝકાત અદા થશે કે નહિ?

જવાબ :– ઝકાતની અદાયગીમાં કોઈ શરત નકકી કરવી સહીહ નથી, કોઈ શરત ઠરાવ્યા વગર હકદારને માલિકી ધોરણે ઝકાત આપવી જોઈએ, જો કોઈ એવી શરત નકકી કરી કે જેના કારણે હકદાર ઝકાતની રકમ અથવા વસ્તુનો માલિક ન બને, બલ્કે એવી શરત નકકી કરીને આપે કે તે રકમ અથવા વસ્તુ હકદાર પાસે કર્ઝરૂપે અથવા આરિયતરૂપે (વાપરવા પૂરતી) રહે તો ઝકાત અદા નહિ થાય અને જો કોઈ એવી શરત ઠરાવીને ઝકાત આપે કે હકદારના માલિક બનવામાં તે શરત અવરોધરૂપ ન બને તો ઝકાત અદા થઈ જશે અને શરત રદ ગણાશે. અલબત્ત, હકદારને ઝકાત આપતી વખતે જાઈઝ અને સારા કામોમાં ઉપયોગ કરવાની અને નાજાઈઝ કામોમાં ઉપયોગ કરવાથી બચવાની હિદાયત અને નસીહત કરવી જાઈઝ છે.                      (ઈમ.ફતાવા ભાગ – ર/૩૯)

Log in or Register to save this content for later.