Chapter : ઝકાત
(Page : 148-149)
સવાલ :– કોઈ માણસ પોતાના માલની ઝકાત ની રકમથી કોઈ ગરીબ તા.ઈલ્મને વિદેશમાં પઢવા જવા માટે પોતે ટિકિટ ખરીદી લઈને તે તા.ઈલ્મને આપી દે તો આ પ્રમાણે પ્લેનની ટિકિટ ખરીદીને આપવાથી ઝકાત અદા થશે કે નહિ ?
જવાબ :– આ પ્રમાણે ઝકાતની રકમ તાલિબે ઈલ્મને આપતા પહેલાં જ તે રકમથી પ્લેનની ટિકિટ ખરીદી તાલિબે ઈલ્મને આપવાથી ઝકાત અદા નહિ થાય, ઝકાતની અદાયગી માટે ઝરૂરી છે કે ચાહે તો પહેલા તાલિબે ઈલ્મના હાથમાં તે રકમ માલિકી ધોરણે આપી દેવામાં આવે અને તે પછી તેની રાઝી ખુશીથી મઝકૂર રકમ પ્લેનની ટિકિટ ખરીદવા આપે તો ખરીદી શકાય છે અને ચાહે તો તે ગરીબ તાલિબે ઈલ્મનો કોઈ વ્યવસ્થાપક ગરીબ તાલિબે ઈલ્મ માટે રકમ સ્વીકારી લે અને તે તાલિબે ઈલ્મને તેની માલિકીની રકમ પોતાની પાસે જમા હોવાની જાણ કરી તેનાથી પ્લેનની ટિકિટ ખરીદવાની મંજૂરી મેળવી ટિકિટ ખરીદવામાં આવે તો પણ જાઈઝ છે અનેે આ બંને સૂરતોમાં ઝકાત આપનારની ઝકાત અદા થઈ જશે. (ફતાવા દારૂલ ઉલૂમ :૬/૧૯૭,ર૪૧)
Log in or Register to save this content for later.