[૧૦૯] દેવાદારોના કહેવાથી લ્હેણદારને ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 146-147)

સવાલ :– એક વ્યકિતને ઝકાતની રકમ આપવા જતા તેણે રકમ હાથમાં લીધા વગર એમ કહયું કે મારા ઉપર ફલાણા માણસનું કર્ઝ છે તમો તેને આપી દો. અમોએ તેમના કહયા મુજબ તેઓને કર્ઝ આપનારને તે રકમ આપી દીધી તો ઝકાત અદા થઈ કે કેમ? ઘણા લોકોનું કહેવું છે કે સદરહુ રકમ પહેલા ઝકાતના હકદારના હાથમાં આપી માલિક બનાવવો ઝરૂરી છે.

જવાબ :– જો પહેલી વ્યકિત જેણે પોતાના કર્ઝ પેટે ઝકાતની રકમ બીજાને આપી દેવા કહયું છે તે વ્યકિત ઝકાતની હકદાર હોય તો મઝકૂર સૂરતમાં ઝકાત અદા થઈ જશે અને કર્ઝ આપનાર બીજી વ્યકિતએ પોતાના દેવાદારના નાયબ તરીકે ઝકાતની રકમ ઉપર કબ્ઝો કરી તેની પાસેથી પોતાનું દેવું વસૂલ કરેલું ગણાશે. (દુર્રે મુખ્તાર  શામી ૬૩ ભાગ :ર)

Log in or Register to save this content for later.