Chapter : ઝકાત
(Page : 142)
સવાલ :– કબ્રસ્તાનના ચોતરફ બંદોબસ્ત કરવા માટે ઝકાતના પૈસા ચાલે કે કેમ ? કબ્રસ્તાન માટે હાલ અમોને ૩૧ ગુંઠા ઝમીન મળી છે. સિમેન્ટના થાંભલા તથા તાર લાવવાના છે.
જવાબ :– ઝકાતના પૈસાથી કબ્રસ્તાનની હદ ન બનાવી શકાય. જો એ જગ્યાએ ઝકાતના નાણાં વાપરવામાં આવશે તો ઝકાત દેનારની ઝકાત અદા નહિ થાય. એ પૈસા લિલ્લાહ ચંદામા ગણાશે, કારણ કે ઝકાતની અદાયગી માટે મુસ્તહિકને માલિક બનાવવો ઝરૂરી છે.
Log in or Register to save this content for later.