Chapter : ઝકાત
(Page : 144)
સવાલ :– ઝકાત આપવાના પૈસા તાત્કાલિક સ્ટોકમાં ન હોય તો આંતરે આંતરે આપી શકાય કે કેમ અને તેની મુદ્દત કેટલી ?
જવાબ :– જે સોનું, ચાંદી કે રકમ અથવા વેપારના માલ પર ઝકાત ફર્ઝ થાય છે તેમાંથી જ ચાળીસમો ભાગ ફર્ઝ થાય છે (જો કે તે ચાળીસમાં ભાગની કિંમતની કોઈ બીજી વસ્તુ આપીએ તો પણ ઝકાત તો અદા થઈ જાય છે) માટે ઝકાત પાત્ર માલની ઝકાત વર્ષ પૂરૂં થતાં જ આપી દેવી જોઈએ. વગર કારણે મોડું ન કરવું જોઈએ, જો કારણ વિના મોડું કરવામાં આવશે તો ગુનેહગાર થશે. જો કોઈ કારણસર મોડુ કરી થોડી થોડી આપશે તો પણ ઝકાત તો અદા થઈ જશે, પણ દરેક વખતે નિય્યત કરવી ઝરૂરી છે અને જયાં સુધી અગવડ રહે મોડું કરી શકે છે. (દુર્રે મુખ્તાર શામી : ૧૩ ભાગઃર)
Log in or Register to save this content for later.