[૧રપ]ગરીબ દીકરી અને જમાઈને ઝકાત અને વ્યાજની રકમ આપવી

Chapter : ઝકાત

(Page : 167-168)

સવાલ :– મારી દીકરી અને જમાઈને એક પુત્ર અને બે દીકરીઓ છે, તેમની પાસે રહેવા માટે બે રૂમનું મકાન છે અને પોતાની પોણા વીઘું જમીન છે, બીજાની ત્રણ ચાર વીઘાં જમીન ખેડે છે, પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષોથી ખૂબ જ તકલીફમાં છે અને દેવું થઈ ગયું છે, ચાળીસ, પીસતાળીસ હજાર દેવું થઈ ગયું છે. તેમની પાસે હવે માત્ર ર૦ ગ્રામની બે બંગડીઓ છે તે સિવાય કંઈ રહયું નથી. તો આ સૂરતમાં તેમને ઝકાતની રકમ આપી શકાય? અને તે ઝકાતની રકમ લઈ શકે ? હું મારી દીકરીને મારી ઝકાત આપી શકું? બીજું અમારી થોડી ઘણી રકમ બેંકમાં જમા છે તે રકમનું વ્યાજ જમા થયું છે તે વ્યાજની રકમ મારી દીકરીને આપી શકું? અને તેણીના માટે તે જાઈઝ ગણાય કે નહિ?

જવાબ :– સવાલની વિગતથી માલૂમ પડે છે તમારા જમાઈ ગરીબ છે અને ઝકાત લેવાના હકદાર છે એટલે તમે ગરીબ જમાઈને પોતાની ઝકાત આપી શકો છો અને તે લઈ શકે છે, પરંતુ બાપ માટે પોતાની દીકરીને ઝકાત આપવી જાઈઝ નથી, ચાહે દીકરી શરઈ દ્રષ્ટિએ ગરીબ અને ઝકાતની હકદાર હોય, અલબત્ત, બેંકના વ્યાજની રકમ સવાબની નિય્યત વગર ઝકાતના હકદાર ગરીબને આપી શકાય છે અને તે ગરીબ પોતાની અવલાદમાંથી પોતાની બાલિગ દીકરી હોય તો પણ આપી શકાય છે.

                અત્રે એ વાત યાદ રાખવી જોઈએ કે જો તમારી દીકરી ર૦ ગ્રામ સોનાની માલિક હોય અને મઝકૂર સોના સાથે તેની પાસે થોડી ચાંદી અથવા થોડી રોકડ રકમ પણ હોય તો તેણી માલદાર ગણાશે અને તેણીને વ્યાજની રકમ આપવી પણ જાઈઝ નથી. અલબત્ત, તમારા ગરીબ જમાઈને વ્યાજની રકમ સવાબની નિય્યત વગર આપવી જાઈઝ છે.

(શામી ભાગ : ર/૩)

Log in or Register to save this content for later.