[૧પ૮] ઝકાતના ડ્રાફટનો હીલો કરવો

Chapter : ઝકાત

(Page : 196-197)

સવાલ :– ઝકાત, સદકાત અને વ્યાજ વગેરેના જે પૈસા હોય તેનો ડ્રાફટ બનાવી તે ડ્રાફટનો હીલો કરી વેપારી વગેરેને આપી શકાય કે નહિ ?

જવાબ :– ઝકાત, સદકાત અને વ્યાજની રકમના ડ્રાફટનો હીલો કરી એ રકમ ઉપયોગમાં લેવી જાઈઝ નથી, કારણ કે ડ્રાફટ ઉપર કબઝો કરવાથી ઝકાત સદકાત અને વ્યાજની રકમ ઉપર હકદારનો કબ્ઝો થતો નથી, હાલાંકે હકદારે મઝકૂર રકમોના માલિક બનવા માટે તે રકમો ઉપર સીધો કબ્ઝો કરવો ઝરૂરી છે. ડ્રાફટનો કબ્ઝો એ તો કર્ઝની રસીદનો અથવા હવાલાની રસીદ ઉપરનો કબ્ઝો છે.  (ઈ.ફતાવા – ર)

Log in or Register to save this content for later.