Chapter : ઝકાત
(Page : 194-195)
સવાલ :– હમારા એક માણસનું કહેવું એમ છે કે ઝકાતના પૈસા માણસને પૂછીને એટલે કે તમો ઝકાત લ્યો છો? આ પ્રમાણેનું પૂછીને ઝકાતના પૈસા આપવામાં આવે. જયારે બીજા માણસનું કહેવું એમ છે કે પોતાના રિશ્તેદાર દેખીતા માલી હાલતથી ગરીબ હોય યા બહારથી દેખાવ સારી રીતનો દેખાતો હોય, છતાં છૂપી રીતે ઘરમાં જોવામાં આવે તો ઘરની હાલત ખાવા પીવાની બાબતોમાં તંગ દેખાતી હોય, જયારે આ સંજોગોમાં શરમના લઈ આવા માણસોને પૂછવાથી ના પાડે છે કેમકે બહારથી જોતાં એમની હાલત દેખાવ પૂરતી સારી લાગે, પરંતુ એમની તંગદસ્તી જોતાં વગર પૂછે ઝકાતના પૈસા આપવાથી આપનાર માણસની ઝકાત અદા થશે કે નહિ?
બીજુ કે ઘણી જગ્યાએ ઈમામના પગાર મકાતિબ વિભાગમાંથી આપવામાં આવે છે અને ગામમાંથી ન જેવો સહકાર મળે છે તો ઘણા ઈમામોની માલી હાલત પણ બાલ બચ્ચા હોવાથી તંગ દેખાય છે તો આવી હાલતમાં ઈમામોને પૂછયા વિના ઝકાત આપી શકાય કે નહિ?
જવાબ :– જે માણસ વિશે ઝકાત આપનારને વિશ્વાસપૂર્વક ખબર હોય કે શરઈ દ્રષ્ટિએ ગરીબ છે, તો તેવા માણસને ઝકાત દેવા માટે તેને પૂછવું બિલકુલ ઝરૂરી નથી, પૂછયા વગર ઝકાત આપવામાં આવે તો પણ અદા થઈ જશે અને જે માણસની દેખીતી હાલત સારી હોય અને તે લોકોથી ઝકાત વગેરેનો સવાલ ન કરતો હોય અને તે ખરેખર ગરીબ હોય અને પોતાને ઝકાતનો હકદાર કહેતા શરમાતો હોય તો તેવા માણસને પૂછયા વગર ઝકાત આપવાથી ઝકાત અદા થઈ જશે. પૂછવાની કોઈ ઝરૂરત નથી. બલ્કે ઝકાતની રકમ આપતી વખતે તેને ઝકાત કહી આપવી પણ ઝરૂરી નથી. હદિયાના નામે આપવામાં આવશે તો પણ ઝકાત અદા થઈ જશે અને એવા માણસને ઝકાત આપવી વધુ બેહતર છે જે ખરેખર ગરીબ હોવા છતાં દેખાવમાં પોતાની હાલત સારી બતાવે અને કોઈનાથી સવાલ ન કરે.
ઈમામ સાહેબ પણ જો ખરેખર ગરીબ હોય અને ઝકાત આપનારને ખબર હોય તો તેઓને પૂછવાની ઝરૂરત નથી. પૂછયા વગર આપવાથી પણ ઝકાત અદા થઈ જશે. (શામી.ર/૬૭)
Log in or Register to save this content for later.