Chapter : અકીકહ
(Page : 542-543)
સવાલ :– મારે બે બાળકોનો અકીકહ કરવો છે અને અકીકહમાં હું મોટું જાનવર ઝબહ કરવા ચાહું છું તો એ જાઈઝ છે કે નહિ ? અમૂક લોકોથી મેં એમ સાંભળ્યું છે કે અકીકહમાં મોટું જાનવર જાઈઝ નથી, અકીકહ માત્ર નાના જાનવરથી જ થઈ શકે છે તો આ વાત કયાં સુધી સાચી છે ? જવાબ સહીહ હદીસથી આપશો.
જવાબ :– અકીકહમાં ઉંટ, વાછરડા અને પાડા જેવું મોટું જાનવર ઝબહ કરવું પણ જાઈઝ છે. નાના જાનવરનું હોવું જરૂરી નથી.
સહીહ બુખારી શરીફમાં હઝરત સલમાન બિન અમ્માર (રદિ.) થી હદીસ નકલ છે કે હઝરત રસૂલુલ્લાહે (સલ.)ફરમાવ્યું છે કે બાળકની સાથે અકીકહ છે, માટે તેના તરફથી જાનવર ઝબહ કરો અને તેના વાળ દૂર કરો. આ હદીસમાં હઝરત રસૂલુલ્લાહે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નાનું કે મોટું કોઈ પણ જાનવર ઝબહ કરવા ફરમાવ્યું છે. ફકત નાનું જાનવર ઝબહ કરવા નથી ફરમાવ્યું.
શૈખ ઈબ્ને કય્યિમ (રહ.) હઝરત અનસ બિન માલિક (રદિ.) થી નકલ કરે છે કે તેઓ પોતાની અવલાદનો અકીકહ ઉંટથી કરતા હતા અને હઝરત અબૂ બકરહ (રદિ.)થી મનકૂલ છે કે તેઓએ પોતાના છોકરા અબ્દુર્રહમાનના અકીકહમાં ઉંટ ઝબહ ફરમાવ્યું હતું અને ‘બસરહ’ ના લોકોને તેનો ગોશ્ત ખવડાવ્યો હતો. (તરબિયતુલ અવલાદ ૯૮,ભા.૧)
Log in or Register to save this content for later.