Chapter : અકીકહ
(Page : 535-536)
સવાલઃ– અકીકાની નિય્યત કરી કિંમત દારૂલ ઉલૂમમાં આપવાથી અકીકો અદા થઈ જશે ?
જવાબઃ– દારૂલ ઉલૂમમાં એ વાતની ચોખવટ કરી રકમ આપવામાં આવે કે આ રકમથી બે બકરાઓ ખરીદ કરવા જે મારા બાબા ફલાણાના અકીકહ માટે છે. જેથી કુરબાની લાયક બે બકરાઓ ખરીદ કરી તેના તરફથી અકીકો કરશો અને ગોશ્ત દારૂલ ઉલૂમના તલબાને ખવડાવી આપશો અને ચામડું વેચીને તેની કિંમત દારૂલ ઉલૂમમાં જમા લેશો. તો આ સૂરતમાં અકીકો અદા થઈ જશે અને બહેતર એ છે કે આપ પોતે દારૂલ ઉલૂમમાં જઈ જે તે મુસ્તહબ દિવસે જાનવર ઝબહ કરાવો, માત્ર અકીકાની નિય્યતથી દારૂલ ઉલૂમમાં કિંમત આપી દેવાથી અકીકો અદા નહિ થાય.
Log in or Register to save this content for later.