Chapter : અકીકહ
(Page : 533-534)
સવાલ :– અમારે બે છોકરા અને બે છોકરીઓ મળી ચાર જણનો અકીકો કરવાનો છે, કુલ છ ભાગ થાય છે, અને એક ભાગ હઝરત ફાતિમહ (રદિ.)નો રાખ્યો છે, અમારે ત્યાં એક હપ્તામાં શાદી છે, જેમાં માલદારો અને ગરીબોને દઅવત આપેલી છે, બીજું કે દઅવત ખાધા પછી પૈસાનો વ્યવહાર લેવાનો નથી. કોઈ લખનાર કે લેનારને નકકી કરવાનો નથી. તો આ શાદીની દઅવતમાં મોટું જાનવર પાડો, વાછરડો, ગાય વગેરેને કોઈને અકીકા માટે નકકી કરી ઝબહ કરી ખવડાવી શકાય કે નહિ? અકીકો અદા થશે કે નહિ?
જવાબઃ– સવાલમાં લખ્યા મુજબ અકીકાનું જાનવર ઝબહ કરી શાદીની દઅવતમાં તેનો ગોશ્ત પકાવીને ખવડાવવાથી અકીકો અદા થઈ જશે, પરંતુ અકીકાના મોટા જાનવરમાં કુરબાનીના દિવસો સિવાય કોઈ મર્હૂમનો ભાગ ના રાખી શકાય, માટે મઝકૂર અકીકાના જાનવરમાં હઝરત ફાતિમા (રદિ.) નો ભાગ ન રાખવામાં આવે અને જો એક ભાગ વધતો હોય તો કોઈ એક છોકરા કે છોકરીના નામથી એક ભાગનો વધુ અકીકો કરવામાં આવે, અથવા સાતમો ભાગ બધા છોકરા, છોકરીઓ (કુલ ચાર) તરફથી નકકી કરવામાં આવે તો પણ વાંધો નથી, કારણ કે કુરબાનીની જેમ સાતમા ભાગથી વધારાનો અપૂર્ણ ભાગ અકીકામાં પણ રાખી શકાય છે.
Log in or Register to save this content for later.